
ભાદરવી પૂનમ એટલે મા અંબે નો દિવસ. મા અંબા નું બનાસકાંઠા માં આવેલું મંદિર એ એક શક્તિપીઠ છે. એવું માનવામાં આવે છે કે માતા સતીનાં અંગોમાંથી માતાજી નું હૃદય ત્યાં છે.

અંબાજી નો મેળો ભાદરવી પૂનમને દિવસે મેળો યોજાય છે. મા અંબાનાં ભક્તો દેશ-વિદેશથી દર્શન કરવાં માટે આવે છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લો આ મોટામાં મોટાં ઉત્સવ દરમિયાન મા આંબાના ભક્તો થી છલકાયેલો જોવાં મળે છે. “બોલ મારી અંબે જય જય અંબે” નો નાદ ચારેકોર સાંભળવાં મળે છે.
આપને તથા આપ નાં પરિવાર ને ભાદરવી પૂનમની શુભકામનાઓ.
જય અંબે. 🙏🏻


